અટલ સ્નેહ યોજના (નવજાત શિશુ માટે)/Atal Sneh Yojana

આ યોજનાનો લાભ 0 થી 18 વર્ષ ની ઉંમરના બાળકો ને મળવા પાત્ર છે. જન્મજાત ખામીઓનું સ્ક્રીનીંગ અત્યાર સુધી બાળક થોડું મોટું થયા પછી જ તેની જન્મજાત ખામી અંગે ખ્યાલ આવતો હતો, હવે જન્મના ૪૮ કલાકની અંદર શિશુનું પરીક્ષણ થશે અને તાત્કાલિક નીચે મુજબની બીમારીઓની સારવાર મળશે.

કુંવરબાઈનું મામેરું યોજના રૂ.૧૨,૦૦૦/- માટે જરૂરી પુરાવા

કુંવરબાઈનું મામેરું યોજના

કુંવરબાઈનું મામેરું યોજના 2023 (Kuvarbai Nu Mameru Yojana In Gujarati) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ એક સરકારી યોજના છે. જે અંતર્ગત ગુજરાત માં રહેલી દીકરીના લગ્ન સમયે આર્થિક મદદ કરે છે.

ડોક્ટરનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન / સહાય મેળવવા માટે

મેડિકલ-ગ્રેજ્યુએટ-ડોકટરો-માટે-લોનસહાય-યોજના

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી સ્નાતકોને ડૉકટરનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે મદદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

બક્ષીપંચના દાખલા માટે જરૂરી પુરાવા

ઘર-બેઠા-કાઢો-જાતિ-નો-દાખલો

તમે બક્ષીપંચ પ્રમાણપત્ર માટે જરૂરી દસ્તાવેજ શોધી રહ્યા છો (જાતિ નો દાખલો)? જાતિ નો દાખલો બક્ષી પંચ દખલો તરીકે પણ ઓળખાય છે. આ પ્રમાણપત્રન ની જરૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીને જરૂર પાડે છે, ગુજરાતમાં એક ક્રીમી લેયર પ્રમાણપત્ર પણ કહેવામાં આવે છે.

પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય યોજના, નવો વ્યવસાય કે ધંધો કરવા માટે માનવ ગરિમા યોજના ઓનલાઈન ચાલે છે. દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરુ યોજના તથા વિદેશ અભ્યાસ કરવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને “વિદેશ અભ્યાસ લોન યોજના” હેઠળ લાભ આપવામાં આવે છે.

ડો. આંબેડકર આવાસ યોજના/Dr,Ambedkar Awas Yojana

નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ અનુસૂચિત જાતિના ઇસમોને આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ (SC) જ્ઞાતિના ઘરવિહોણા,ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને Dr Ambedkar Awas Yojana  આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વ્યક્તિગત નવું બાંધકામ અર્થે સબસીડી/સહાય

યોજના- કેન્દ્ર સરકાર ધ્વારા દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોને વર્ષ ૨૦૨૨ સુધી ઝુપડપટ્ટી મુત્ત અને જર્જરિત મકાન નું નવેસર થી બાંધકામ કરવા માટે “સૌના માટે આવાસ” હાઉસિંગ ફોર ઓલ મિશન તા.૨૫-૦૬-૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ છે.

પાલક માતા-પિતાની યોજના

palak mata pita yojana

  ગુજરાત રાજ્યમાં અનાથ, નિરાધાર બાળકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ Director Social Defense ચાલે છે. જેના અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા “અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજના” અમલીકૃત કરવામાં આવેલ છે. અનાથ બાળકોને દર મહિને રૂ. ૩૦૦૦ની સહાય આપવામાં આવે છે. લાભાર્થી બાળકોના બેક એકાઉન્‍ટમાં DBT મારફતે સહાયની રકમ ચૂકવાય છે.

વિધવા સહાય/ ગંગા સ્વરૂપ પેન્શન યોજના રૂ.૧૨૫૦/ માસિક માટે જરૂરી પુરાવા.

વિધવા-સહાય-યોજના

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને વર્તમાન પ્રવાહમાં લાવવા માટે, સશક્તિકરણ અર્થે અને સુરક્ષા માટે ઘણી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં વ્હાલી દિકરી યોજના, સખી-વન સ્ટોપ સેન્‍ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્‍દ્ર, 181 મહિલા હેલ્પલાઈન, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC) વગેરે યોજનાઓ ચાલે છે. જેમાં ગંગા સ્વરૂપા એટલે વિધવા બહેનોને સમાજમાં પુન:સ્થપાન અને આર્થિક મદદરૂપ થવાના હેતુથી Vidhva Sahay Yojana અને ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

નિરાધાર વૃદ્ધ સહાય યોજના રૂ.૭૫૦/ માસિક માટે જરૂરી પુરાવા.

niradhar-vrudh-sahay-yojana

ગુજરાત સરકાર રાજ્યમાં રહેતા નિરાધાર વૃદ્ધો, નિરાધાર અપંગો, કે નિરાધાર વ્યકિતોને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થાય તે હેતુથી ઘણી બધી રાજ્ય સરકારની યોજનાઓ અમલી બનાવતી હોય છે જે અંતર્ગત રાજ્યમાં વર્ષ 1978 થી “નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવેલી છે. જેથી નિરાધાર વૃદ્ધો લાભ લઈને પોતાનું જીવન ગુજરાન ચાલવી શકે. જેનો અમલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે.