નિરાધાર વૃદ્ધ સહાય યોજના રૂ.૭૫૦/ માસિક માટે જરૂરી પુરાવા.

ગુજરાત સરકાર રાજ્યમાં રહેતા નિરાધાર વૃદ્ધો, નિરાધાર અપંગો, કે નિરાધાર વ્યકિતોને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થાય તે હેતુથી ઘણી બધી રાજ્ય સરકારની યોજનાઓ અમલી બનાવતી હોય છે જે અંતર્ગત રાજ્યમાં વર્ષ 1978 થી “નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવેલી છે. જેથી નિરાધાર વૃદ્ધો લાભ લઈને પોતાનું જીવન ગુજરાન ચાલવી શકે. જેનો અમલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે.

નિરાધાર વૃદ્ધ સહાય યોજના માટે જરૂરી પુરાવા

• અરજદારની આવક નો દાખલો/પ્રમાણપત્ર (૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)

• અરજદારનું રેશનકાડૅ

• અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ

• અરજદારના પતિ/પત્નીનો આધારકાર્ડ, વોટીંગકાર્ડ (જો હયાત હોય તો)

• અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ,વોટીંગકાર્ડ

• અરજદારનું લાઇટબીલ/વેરાબીલ

• અરજદારને સંતાનમાં પુત્ર નથી અથવા દિવ્યાંગ પુત્ર છે તેનું સોગંધનામું/એફિડેવિટ

• અરજદારની ઉમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/સિવિલ સર્જન નું પ્રમાણપત્ર)

• અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો

• 2 સાક્ષીઓના આધારકાર્ડ,વેરાબિલ અને પાસપોર્ટ સાઇઝ ફોટા(પંચનામું કરવા તલાટીશ્રીના જણાવ્યા અનુસાર સાક્ષીને રૂબરૂ લઇ જવા)

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

• વિસ્તારને લગતી મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.

ખાસનોંધ

• અરજદારની ઉમર ૬૦ વર્ષ થી વધુ જરૂરી.

• દરેક પુરાવાઓની ઝેરોક્ષ કરાવી નોટરી ના સહી/સિક્કા મરાવવા. તથા ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.

• યોજનાનું ફોર્મ નીચે દર્શાવેલ લિંક ધ્વારા ડાઉનલોડ કરી શકશો.

Leave a Comment