પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વ્યક્તિગત નવું બાંધકામ અર્થે સબસીડી/સહાય

યોજના- કેન્દ્ર સરકાર ધ્વારા દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોને વર્ષ ૨૦૨૨ સુધી ઝુપડપટ્ટી મુત્ત અને જર્જરિત મકાન નું નવેસર થી બાંધકામ કરવા માટે “સૌના માટે આવાસ” હાઉસિંગ ફોર ઓલ મિશન તા.૨૫-૦૬-૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ છે.

યોજનાની ઝાંખી અને વિશેષતાઓ

• લાભાર્થી એક પરિવાર તરીકે વ્યાખ્યાયિત જેમાં પતિ,પત્ની અને અપરણિત બાળકોનો સમાવેશ.

• પોતાની જમીન ધરાવતા વ્યક્તિઓને આવાસ(મકાન) બાંધકામ કરવાના હેતુસર સહાય.

• રૂ.૩ લાખ સુધીની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ધરાવતા કુટુંબને સહાય મળવાપાત્ર.

• લાભાર્થી પાસે આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર હોવું કરજીયાત.

• આવાસ પરિવારની મુખ્ય સ્ત્રી ના નામ પર અઠવા તો પરિવારના મુખ્ય પુરુષ અને તેની પત્નીના સંયુક્ત નામે કરવાના રહે છે.

• લાભાર્થીએ NBC ના કોડ અને સ્થાનિક GDCR મુજબ આવાસનું નિર્માણ કરવાનું રહેશે.

યોજનાનો વ્યાપ

• લાભાર્થી પોતાની માલિકીની ખુલ્લી જમીન પર ૩૦.૦૦ છો.મી. કાર્પેટ વિસ્તાર સુધીનું નવું પાકું મકાન બાંધી શકે છે.

• ૩૦.૦૦ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીના મકાન બાંધકામ માટે લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.

મળવાપાત્ર સહાય

• કુલ મળવાપાત્ર રકમ રૂ.૩,૫૦,૦૦૦ (૩, ત્રણ લાખ પચાસ હજાર)

• જેમાં કેન્દ્ર સરકાર ની સહાય રૂ.૧,૫૦,૦૦૦ (૩.એક લાખ પચાસ હાજર) ની રહેશે. અને રાજ્યસરકાર ની સહાય રૂ.૨,૦૦,૦૦૦ (૩.બે લાખ) નીરહેશે.

લાભાર્થીની પાત્રતા

• જમીન નો માલિક અરજદાર પોતે હોવો જોઇએ.

• અરજદારના કુટુંબના કોઇ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઇએ,

• કૌટુંબિક વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.

• અરજદારે PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના અન્ય કોઇપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઇપણ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઇએ.

અરજદારે રજુ કરવાના કરજીયાત પુરાવા

• જમીન માલિકી ના પુરાવા(પાકા દસ્તાવેજની નકલ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/૭-૧૨ ની નકલ)

• લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવતો મામલતદારશ્રી/તલાટી નો દાખલો(૩ લાખ થી પછી આવક મર્યાદા)

• લાભાર્થી ના કુટુંબના કોઈપણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગેનું ૩.૫૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝડ સોગંધનામું.

• આધારકાર્ડ ની નકલ (કુટુંબ ના દરેક સભ્યની)

• મતદાનકાર્ડ ની નકલ

• બેંક પાસબુક / કેન્સલ ચેક

• રહેઠાણનો લાભાર્થી સાથેનો ફોટો

• લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝ ફોટો

• સંયુક્ત માલિકી ના કિસ્સા માં નમીન ના અન્ય માલિકો ધ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતિ આપતો રૂ.૫૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ્ડ સંમતિપત્ર.

લાભ મેળવવા અરજી ક્યાં કરવી?

• મહાનગર પાલિકા વિસ્તારના રહીશો એ મહાનગર પાલિકા ની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો.

• જીલ્લા કે નગર પાલિકા વિસ્તાર ના રહીશો એ સ્થાનિક નગરપાલિકા કે જીલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો.

• ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશો એ ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવો.

• વધુ વિગત માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અફોર્ડેબલ હાઉસિંગ ની વેબસાઈટ ની નીચે આપેલ લિંક ધ્વારા મેળવી શકો છો.

https://pmaymis.gov.in/

Leave a Comment