ડો. આંબેડકર આવાસ યોજના/Dr,Ambedkar Awas Yojana

નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ અનુસૂચિત જાતિના ઇસમોને આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ (SC) જ્ઞાતિના ઘરવિહોણા,ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને Dr Ambedkar Awas Yojana  આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.

યોજનાનો હેતુ

અનુસૂચિત જાતિના ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે. રૂ.,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે. રૂ.,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો-  ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- રૂ.,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.

નિયમો અને શરતો

લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઇપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.

ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહીં તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.

ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.

આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે રૂ.૧૬,૯૨૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.

• સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે રૂ.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.

રજુ કરવાના પુરાવાઓ

અરજદારનું આધાર કાર્ડ

અરજદારનું રેશનકાર્ડ

અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો

અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો

રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઇ પણ એક)

જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )

બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)

જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી

ચૂંટણી ઓળખપત્ર

મકાન બાંધકામ ચિઠ્ઠી

• અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

આ સેવાનો લાભ હવે ઓનલાઇન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.

• ઓનલાઇન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા અનુસુચિતજાતિ કલ્યાણ પ્રભાગ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.

• https://esamajkalyan.gujarat.gov.in/index.aspx

https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/AAYViewApplicantDetails.pdf

Leave a Comment