કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન

કુપોષણ-મુક્ત-ગુજરાત-અભિયાન-યોજના

પોષણ અભિયાન (અગાઉ NNM તરીકે ઓળખાતું) 8મી માર્ચ, 2018ના રોજ કુપોષણ મુક્ત ભારતના સંકલ્પ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો હેતુ દેશમાંથી તબક્કાવાર કુપોષણ ઘટાડવાનો અને 0 થી 6 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓની પોષણની સ્થિતિમાં સુધારો લાવવાનો છે

રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના/Rastriya Parivar Niyojan Yojana

રાષ્ટ્રીય-પરિવાર-નિયોજન-યોજના.

મહિલા લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ).

વિધાલક્ષ્મી બોન્ડ યોજના/Vidyalaxmi Bond Yojana

વિધાલક્ષ્મી-બોન્ડ-યોજના

સમગ્ર રાજ્યમાં કન્‍યા-કેળવણીનું પ્રમાણ વધારવા ૩૫ ટકાથી ઓછીી સ્‍ત્રી સાક્ષરતાવાળા ગામોમાં ૧માં ૧૦૦ ટકા કન્‍યાઓનું નામાંકન થાય અને નવીન પ્રવેશ મેળવનાર ધોરણ-૭ સુધી અભ્‍યાસ ચાલુ રાખે તે માટે વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ યોજના દાખલ કરેલ છે.

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન/Pradhan Mantri Surakshit Matritva Abhiyan

વિધાલક્ષ્મી-બોન્ડ-યોજના.

કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે પી નડ્ડાએ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (પીએમએસએએ)ને વ્યાપક સમર્થન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. કેમ કે, આ કાર્યક્રમ હેઠળ એક કરોડથી વધુ પ્રસુતાઓની તપાસ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ભારતનાં માનનીય પ્રધાનમંત્રીની પરિકલ્પના એ હતી કે 9 મહિનાની ગર્ભાવસ્થાનાં પ્રતિક રૂપે દર મહિનાની 9 તારીખ ગર્ભવતી મહિલાઓને સમર્પિત હોવી જોઈએ. તેમના દ્રષ્ટિકોણને પૂર્ણ કરવા અને દેશભરમાં ગર્ભવતી મહિલાઓનાં વ્યાપક તેમજ ગુણવત્તાપૂર્ણ પ્રસવ પહેલા તપાસ સુનિશ્ચિત કરવા માટે પીએમએસએમએ કાર્યક્રમને 2016માં શરૂ કરાયો હતો.

શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

શાળા-આરોગ્ય-રાષ્ટ્રીય-બાળ-સ્વાસ્થ્ય-કાર્યક્રમ.

રાજ્ય સરકારે 12 જૂન, 2023 થી એટલે કે 20મા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રથમ દિવસથી ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (SHRBSK) હેઠળ રાજ્યના બાળકો માટે મફત આરોગ્ય તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન આગામી 30 દિવસ સુધી સઘન રીતે ચલાવવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના/Nirmal Bharat Abhiyaan

સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા અમલ માં આવેલ સામુદાયિક નેતૃત્વ સાથેનું સંપૂર્ણ સ્વચ્છતા કાર્યક્રમ છે . જે માંગ આધારિત અને લોકોભિમુખ સ્વચ્છતા પ્રોગ્રામ છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર નો નાણાંકીય હિસ્સો ૭૫:૨૫ ના પ્રમાણ માં છે. યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ ગુજરાત રાજ્ય ને વર્ષ ૨૦૧૯ સુધીમાં ખુલ્લુ મળોત્સર્જન રહિત બનાવવાનું છે.

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના/આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા.

આયુષ્યમાન-ભારત-યોજના

કાર્ડ ધારકનું નામ લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકશે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે.

જરૂરી પુરાવા.

• પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નો લેટર

• રેશન કાર્ડ (નવો બારકોડેડ)

• આધાર કાર્ડ

ઉપરોક્ત પુરાવા લઇ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક CSC સેન્ટર પર રૂબરૂ જઇ ૩૦ રૂપીયા. પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો.

ખાસનોંધ.

• દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂપીયા.૫,૦૦,૦૦૦ સુધીનું ભારત સરકાર ધ્વારા સુરક્ષા કવચ.

• વર્ષ ૨૦૧૧ માં ભારત દેશની વસ્તી ગણતરીના આધારે આર્થિક રીતે પછાત લોકોના થયેલા સર્વે માં જણાયેલ પરિવારોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

• આમ, લીસ્ટમાં જો આપનું અથવા આપના પરિવારનું નામ નાં હોઈ તો નવા પરિવારોના નામ ઉમેરવાનું હાલ કોઈ પ્રાવધાન નથી.

• પરંતુ, જો આપ ગુજરાતમાં વસવાટ કરતા હોવ અને ૪ લાખ થી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા હોવ તો આપ માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ બનાવી સારવાર કરાવી શકો છો.

• પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ના લીસ્ટમાં નામ ચેક કરવા સ્થાનિક CSC સેન્ટર અથવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.

https://mera.pmjay.gov.in/search/login

MYSY -મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

મુખ્યમંત્રી-યુવા-સ્વાવલંબન-યોજના

ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કેતેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

RTE- રાઇટ ટુ એજ્યુકેશન ઓનલાઇન પ્રવેશ માટે જરૂરી પુરાવા.

• બાળક ના પિતા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)

• બાળક ના પિતા/વાલીનું રેશનકાર્ડે

• બાળક ના 2 ફોટા

• બાળક નો આધારકાર્ડ જન્મનો દાખલો

• બાળક ના માતા-પિતા/વાલી નો આધાર કાર્ડ

ડોમિસાઇલ સર્ટીફીકેટ/Domicile Certificate

Domicile-Certificate

ડોમીસાઈલ એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઇપણ યુનિવર્સિટીમાં એડમીશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિધાર્થીઓ કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમીસાઇલ સર્ટીફીકેટ.. પુરાવાઓની પ્રમાણિત નકલ