વિધાલક્ષ્મી બોન્ડ યોજના/Vidyalaxmi Bond Yojana

સમગ્ર રાજ્યમાં કન્‍યા-કેળવણીનું પ્રમાણ વધારવા ૩૫ ટકાથી ઓછીી સ્‍ત્રી સાક્ષરતાવાળા ગામોમાં ૧માં ૧૦૦ ટકા કન્‍યાઓનું નામાંકન થાય અને નવીન પ્રવેશ મેળવનાર ધોરણ-૭ સુધી અભ્‍યાસ ચાલુ રાખે તે માટે વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ યોજના દાખલ કરેલ છે.

કોને લાભ મળે?

બીપીએલ કાર્ડ ધરાવતા કુટુંબની કન્યાને, ૦ થી ૫૦% સુધીનો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામની પહેલા ધોરણમાં દાખલ થતી સરકારી પ્રાથમિક શાળાની કન્યાને મળવાપાત્ર છે.

કેટલો લાભ મળે?

ઉપર મુજબ જણાવ્યાનુસાર વર્ગમાં સમાવિષ્ટ થતી તમામ કન્યાઓને રૂ.૨૦૦૦/- નો બોન્ડ મળવાપાત્ર થાય છે. જે બોન્ડની રકમ ધોરણ-૮ સળંગ પાસ કર્યા બાદ વ્યાજ સાથે પરત આપવામાં આવે છે.

લાભ ક્યાંથી મળે?

જે-તે શાળા માંથી.

Leave a Comment