રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના/Rastriya Parivar Niyojan Yojana

લાભ કોને મળે?

• મહિલા લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ).

• પુરુષ લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય, તેની ઉમંર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ એક બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, લાભાર્થીની પત્નીનું ઓપરેશન ન થયેલ હોવો જોઇએ (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ).

કેટલો લાભ મળે?

• પુરુષ નસબંધી માં લાભાર્થીને રૂ. ૨૦૦૦/- અને મોટીવેટર ને રૂ.૩૦૦/- ની સહાય.

• ટ્યૂબેક્ટોમી (સ્ત્રી વ્યંધીકરણ) માં લાભાર્થીને રૂ.૧૪૦૦/- અને મોટીવેટર ને રૂ. ૨૦૦/- ની સહાય.

• ટ્યૂબેક્ટોમી (સ્ત્રી વ્યંધીકરણ) (સરકારી દવાખાનામાં પ્રસુતિ બાદ ૭ દિવસમાં કરાવે તો) લાભાર્થીને રૂ.૨૨૦૦/- અને મોટીવેટર ને રૂ.૩૦૦/- ની સહાય.

લાભ ક્યાંથી મળેલ?

• કુટુંબ કલ્યાણ પદ્ધતિનું ઓપરેશન જે તે ફેસેલીટી સેન્ટરમાં કરો ત્યારે આપને ત્યાંથી ઓપરેશન કરાવતા લાભાર્થીને તેમના બેંક ખાતામાં સહાય આપવામાં આવશે.

 યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ

• આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે નિયત કોર્મ ભરવાનું હોય છે.

Leave a Comment