સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના/Nirmal Bharat Abhiyaan

સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા અમલ માં આવેલ સામુદાયિક નેતૃત્વ સાથેનું સંપૂર્ણ સ્વચ્છતા કાર્યક્રમ છે . જે માંગ આધારિત અને લોકોભિમુખ સ્વચ્છતા પ્રોગ્રામ છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર નો નાણાંકીય હિસ્સો ૭૫:૨૫ ના પ્રમાણ માં છે. યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ ગુજરાત રાજ્ય ને વર્ષ ૨૦૧૯ સુધીમાં ખુલ્લુ મળોત્સર્જન રહિત બનાવવાનું છે.

લાભ કોને મળે?

વ્યક્તિગત શૌચાલય માટે બીપીએલ લાભાર્થી

• વ્યક્તિગત શૌચાલય માટે એપીએલ લાભાર્થી માં પાંચ કેટેગરીના:

૧) એસ.સી./એસ.ટી

ર) નાના સીમંત ખેડૂત

૩) જમીન વિહોણા ખેતમજૂર

૪) શારીરિક વિકલાંગ

૫) કુટુંબ મહિલા વડા

વ્યક્તિગત શૌચાલય માટે એપીએલ (જનરલ) લાભાર્થી

સામુહિક શૌચાલય જમીનની સગવડતા ન ધરાવતા શૌચાલય વિહોણાની સંયુક્ત ભાગીદારી ધરાવતા કુટુંબોને,

 • ઘન કચરાના નિકાલ માટે સાધનો પુરા પાડવા તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન ધરાવતા ગામો માટે લોકભાગીદારીથી કામો કરવામાં આવે છે.

કેટલો લાભ મળે?

વ્યક્તિગત શૌચાલય માટે બીપીએલ તથા એપીએલ (પાંચ કેટેગરી) રૂ. ૧૨,૦૦૦/- ની સહાય, તેમજ એપીએલ (જનરલ) રૂ.૮૦૦૦/-

સામુહિક શૌચાલય માટે કુલ રૂ.૨,૦૦,૦૦૦/- (લોકફાળો રૂ. ૨૦,૦૦૦/- તથા યોજનાકીય રૂ.૧,૮૦,૦૦૦/- સહાય).

ધન કચરા નિકાલ માટે સાધનો પુરા પાડવા તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન ધરાવતા ગામો માટે –

૧) ૧૫૦ કુટુંબ સુધી રૂ. ૭.૦૦ લાખ

૨) ૩૦૦ કુટુંબ સુધી રૂ. ૧૨.૦૦ લાખ

૩) ૫૦૦ કુટુંબ સુધી રૂ. ૧૫.૦૦ લાખ

૪) ૫૦૦ થી વધુ કુટુંબ રૂ. ૨૦,૦૦ લાખ

જરૂરી પુરાવાઓ

આધારકાર્ડ/ ચૂંટણીકાર્ડ/ વાહન લાયસન્સ/ પાનકાર્ડ/ મનરેગા જોબ કાર્ડ/ રેશનકાર્ડ / બીપીએલ કાર્ડ (કોઇપણ એક)

ઘરવેરા ની રસીદ

બેંક પાસબુકની નકલ

• શૌચાલયનો ચાલુ તથા પૂર્ણ કામનો લાભાર્થી સાથેનો ફોટો.

લાભ ક્યાંથી મળે?

તલાટી-કમ મંત્રીશ્રી, ક્લસ્ટર કો-ઓર્ડીનેટર, બ્લોક કો-ઓર્ડીનેટર, સિવિલ એન્જીનીયર તથા નિર્મળ દૂત ધ્વારા અરજી કોર્મ ભરી ગ્રામ પંચાયત ધ્વારા તાલુકા કક્ષાએ અરજી પહોંચાડવી.

• તાલુકા પંચાયત કચેરી, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના શાખા.

Leave a Comment