ભારત સરકાર ધ્વારા વર્ષ ૨૦૧૩માં NFSA – રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત BPL રેશનકાર્ડ ધારક સિવાયના જરૂરિયાતમંદ BPL અને APL-૧ રેશનકાર્ડ ધારક પરિવારોને સરકારશ્રી તરફ઼ થી સસ્તા અનાજની દુકાન મારફતે દરમહિને વ્યકિત દીઠ અમુક ચોક્કસ માત્રામાં રાહતદરે અનાજ આપવામાં આવે છે. જેનો લાભ લેવા માટે અરજદારે દાવા-અરજી કરવાની હોય છે.
![](https://gujjuworld.in/wp-content/uploads/2023/06/હવેથી-તમને-પણ-મળશે-અનાજ.webp)
દાવા અરજી સાથે જરૂરી પુરાવા
• રેશન કાર્ડ
• લાઈટબીલ/વેરાબિલ/ગેસબીલ
• માલિકીનું મકાન ન હોય તો- ભાડાકરાર(જો ભાડે રહેતા હોય તો) / જો મકાન સરકાર ધ્વારા ફાળવવામાં આવ્યું હોય તો, એલોટમેન્ટ લેટર
• આધારકાર્ડ (કુટુંબના દરેક સભ્યોની)
• ગેસબુક
• કુટુંબના મુખ્ય સભ્યની બેંક પાસબુક (કુટુંબ ની મુખ્ય સભ્ય તરીકે ઘરની મહીલાને રાખવી જેથી ભવિષ્યમાં વધુ સરકારી યોજનાઓનો લાભ મળી શકે.)
દાવા અરજી માટે ફોર્મ ક્યાં મળશે અને આવેદન ક્યાં કરવું?
તમારી સ્થાનિક સસ્તા અનાજ ની દુકાન, ઝોન કચેરી, મામલતદાર કચેરી, તાલુકા કચેરી (જે-તે ઝોન કે જીલ્લા માં જેમને સત્તા આપેલી હોય ત્યાં)
અરજીની પ્રક્રિયા-
• દરેક પુરવાઓની ઝેરોક્ષ કરાવવી.
• જે-તે કચેરીએ ફોર્મ જમા કરાવી ત્યાંથી અધિકૃત પેનલ ધ્વારા સર્વે કરવામાં આવશે. અને સર્વે ને આધારે આપ NFSA યોજના માટે લાયક છો કે નહિ તે નક્કી કરી આપને દર મહીને લાભ મળવાપાત્ર થઇ જશે.(જે-તે અધિકારી ના નિર્ણય પર સર્વે કરવામાં આવે છે.)
• નોંધ- જો રેશન કાર્ડમાં નામ ઉમેરવું કે કમી કરવાનું બાકી હોય તો તાકીદે કરાવવું પછી અરજી કરવી હિતાવહ રહેશે.
ઓનલાઇન ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક
https://drive.google.com/file/d/1peBlcnv_yrR2ATy0WZzxcr6ErExXtkkV/view?usp=sharing