![](https://gujjuworld.in/wp-content/uploads/2024/01/2.jpg)
ગાંધીનગર: 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહના એક દિવસ બાદ જ ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 23મી જાન્યુઆરી, મંગળવારે ગુજરાત આવી રહ્યા છે.
નડ્ડા ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરશે. તેઓ ગાંધીનગર લોકસભા બેઠક ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર પક્ષના ચૂંટણી કાર્યાલયોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે.