આશ્રમ એક્સપ્રેસ ટ્રેન 1 ફેબ્રુઆરીથી સાબરમતી સ્ટેશન પર સમાપ્ત થશે

અમદાવાદ: પશ્ચિમ રેલ્વેએ તાજેતરમાં આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફારની જાહેરાત કરી છે, જે 1 ફેબ્રુઆરી, 2024થી અમલમાં છે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરના જણાવ્યા મુજબ, અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ હવે અમદાવાદને બદલે સાબરમતીથી ઓપરેટ કરશે.

1 ફેબ્રુઆરીથી, ટ્રેન નંબર 12915, અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ માટે સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડવાનો સમય 19:40નો રહેશે. દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ, ટ્રેન નંબર 12916, સાબરમતી સ્ટેશન પર સવારે 5:55 વાગ્યે આવશે અને ત્યાં જ સમાપ્ત થશે.

Leave a Comment