અયોધ્યા માટે ગુજરાતમાંથી 7 ટ્રેનોની જાહેરાત

નવી દિલ્હી: શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાના અભિષેક સમારોહમાં માત્ર 11 દિવસ બાકી હોવાથી, રેલ્વે મંત્રીએ શુક્રવારે 8 ટ્રેનોની જાહેરાત કરી જે ભક્તોને મંદિરના નગર અયોધ્યા સુધી પહોંચાડશે. આ 8 ટ્રેનોમાંથી 7 ગુજરાતના શહેરોમાંથી ઉપડશે, જેમ કે, અમદાવાદ (સાબરમતી સ્ટે.), ઉધના (સુરત), મહેસાણા, વલસાડ, વાપી, પાલનપુર, વડોદરા.

કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી અને સુરતના લોકસભા સાંસદ દર્શના જર્દોષે શુક્રવારે આ જાહેરાત કરતા કહ્યું કે, રામ ભક્તોની વધતી માંગને ધ્યાનમાં રાખીને અયોધ્યા જતી ટ્રેનોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

~ ટ્રેન 01 – ઉધના – અયોધ્યા – ઉધના 30 જાન્યુઆરી 2024 થી શરૂ થશે

~ ટ્રેન 02 – ઇન્દોર – અયોધ્યા – ઇન્દોર 10 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે

~ ટ્રેન 03 – મહેસાણા – સાલારપુર – મહેસાણા 30 જાન્યુઆરી 2024 થી શરૂ થશે

~ ટ્રેન 04 – વાપી – અયોધ્યા – વાપી 06 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે

~ટ્રેન 05 – વડોદરા – અયોધ્યા – વડોદરા

~ ટ્રેન 06 – પાલનપુર – સાલારપુર – પાલનપુર 31 જાન્યુઆરી 2024 થી શરૂ થશે

~ ટ્રેન 07 – વલસાડ – અયોધ્યા – વલસાડ 02 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે

~ ટ્રેન 08 – સાબરમતી – સાલારપુર – સાબરમતી

Leave a Comment